સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

MSMEમાં ગુણવત્તા મિશનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર અને QCIએ ગુણવત્તા યાત્રા શરૂ કરી: 56 દિવસમાં 33 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા, 10,000થી વધુ હિસ્સેદારોનો સંપર્ક કરાયો

Posted On: 03 JUN 2025 11:17AM by PIB Ahmedabad

ભારતની ગુણવત્તાની ચળવળમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ, ગુજરાત ગુણવતા યાત્રા (GGY) –ગુજરાતમાં ઉદ્યોગો, સંસ્થાઓ અને સમુદાયોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત 56-દિવસીય રાજ્યવ્યાપી અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી, આ યાત્રા 5 એપ્રિલ, 2025ના રોજ શરૂ થઈ હતી, જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI)ની રાજ્ય સ્તરે પ્રથમ મોટા પાયે પાયાના સ્તરે એકત્રીકરણની ઉજવણી કરવામાં આવી હતી.

'ગુણવતા સશક્ત ગુજરાત, વિકસિત ભારત' થીમ હેઠળ આયોજિત આ યાત્રા 5 એપ્રિલથી 30 મે 2025 સુધી ચાલી હતી, જેમાં તમામ 33 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં 6,500 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો. 10,000થી વધારે ઉપસ્થિતોની ભાગીદારી સાથે આ અભિયાનમાં જાગૃતિ વર્કશોપ, ગુણવત્તાયુક્ત સંવાદો, ઉદ્યોગની મુલાકાતો અને ક્ષેત્ર-સ્તરીય આદાન પ્રદાન મારફતે સમાજના વિવિધ વર્ગોને જોડવામાં આવ્યા હતા. તે ગુણવત્તાયુક્ત સભાનતાને પ્રોત્સાહન આપવા, જમીન પરનાં પડકારોને ઓળખવા અને તમામ ક્ષેત્રોમાં ગુણવત્તા-કેન્દ્રિત જોડાણો શરૂ કરવામાટેનાં મંચ તરીકે કામ કરે છે. મહત્વનું છે કે, આ યાત્રા 25થી વધુ ટાયર 3 અને ટાયર 4 શહેરો અને નગરો સુધી પહોંચી હતી, જેથી ગુણવત્તાનો સંદેશો શહેરી કેન્દ્રો સુધી મર્યાદિત ન રહે પરંતુ અર્ધ-શહેરી અને ગ્રામીણ ગુજરાતમાં ગુંજી ઉઠે.

આ યાત્રાનું માળખું બે મુખ્ય ઘટકોની આસપાસ રચવામાં આવ્યું હતું: "ગુણવતા રથ' – એક મોબાઇલ અવેરનેસ વાન કે જેણે ગુણવત્તાનો સંદેશો લઈને રાજ્યવ્યાપી પ્રવાસ કર્યો હતો - અને જિલ્લા-સ્તરની ૩૩ વર્કશોપની સમાંતર શ્રેણી. આ સત્રોમાં સરકારી સંસ્થાઓ, ઉદ્યોગો, એમએસએમઇ, સંસ્થાઓ અને નાગરિકો વચ્ચે મહત્ત્વપૂર્ણ સંવાદની સુવિધા ઊભી થઈ હતી.

આ યાત્રાને ગુજરાતભરના મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓનો નોંધપાત્ર સહયોગ મળ્યો, જેમાં ભારત સરકારના ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન જયંતિલાલ બાંભણીયા, ગુજરાત સરકારના ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, MSME રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. શ્રીમતી મમતા વર્મા, મુખ્ય સચિવ (ઉદ્યોગ) અને શ્રીમતી શાલિની અગ્રવાલ, સુરતના મ્યુનિસિપલ કમિશનર જેવા મુખ્ય અમલદારોએ પણ ભાગ લીધો હતો, જેમાં અનેક ધારાસભ્યો અને સંસ્થાકીય નેતાઓનો સમાવેશ થાય છે.

આ અભિયાન દરમિયાન ક્યૂસીઆઈએ એમએસએમઇ વિભાગ (ગુજરાત સરકાર), એમએસએમઇ ડીએફઓ (ભારત સરકાર), બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ), અટીરા, એનઆઇડી, ભારતીય રેલવે, જીપીસીબી, એફએસએસએઆઈ, ડિશ, ઇસરો, ડીજીએફટી, ડીએસટી (ગુજરાત)-એઆઇ સીઓઇ, ઇક્યુડીસી અને સિડબી સહિતની મુખ્ય સંસ્થાઓ સાથે જોડાણ કર્યું હતું અને સાથે ઉદ્યોગ સંગઠનો અને નાગરિક સંસ્થાઓનો સક્રિય ટેકો આપ્યો હતો. આ વ્યાપક સહકારથી શહેરી અને ગ્રામીણ બંને હિસ્સેદારો સુધી ગુણવત્તાનો સંદેશ પહોંચવાની ખાતરી મળી.

ગુણવતા યાત્રાના સમાપન પ્રસંગે QCIના ચેરપર્સન શ્રી જક્ષય શાહે જણાવ્યું હતું કે, "તમામ અવરોધો વચ્ચે ગુજરાત ગુણવતા યાત્રા હાથ ધરવા માટે QCIની પ્રતિબદ્ધતા અને સંકલ્પની હું હૃદયપૂર્વક કદર કરું છું. આત્યંતિક ગરમી અને કઠોર હવામાનની પરિસ્થિતિઓનો સામનો કરવાની તેમની દ્રઢતા ગુણવત્તા પ્રત્યેની અમારી દ્રઢ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ગુણવત્તા એ કંઈ ખર્ચ નથી - તે એક શક્તિશાળી સહાયક છે. તે વધુ સારા નફા, મજબૂત બજારો અને સ્થાયી વિકાસનો માર્ગ છે."

ક્યૂસીઆઈના સેક્રેટરી જનરલ શ્રી કન્નન ચક્રવર્તીએ આ પહેલની લાંબા ગાળાની અસર પર પ્રકાશ પાડ્યો હતો: "ગુજરાત ગુણવતા યાત્રા માત્ર જાગૃતિ લાવવા જ નહીં, પરંતુ સમુદાયો, ઉદ્યોગો અને સંસ્થાઓને ગુણવત્તા-પ્રથમ ભારતના સહ-આર્કિટેક્ટ તરીકે સક્રિય કરવાના અમારા અભિયાનને પ્રતિબિંબિત કરે છે."

આ ઝુંબેશમાં 305 નિષ્ણાત વક્તાઓ, 137 ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ અને 4000થી વધુ વ્યક્તિઓ દ્વારા ગુણવત્તા પ્રતિજ્ઞા લીધી હતી. તેણે QCIના ગુણવત્તા-કેન્દ્રિત હસ્તક્ષેપોના વ્યાપક સમૂહ પર પણ પ્રકાશ પાડ્યો હતો - જેમાં પ્રમાણપત્ર, માન્યતા, પ્રક્રિયા સુધારણા અને ક્ષેત્ર-વિશિષ્ટ પહેલોનો સમાવેશ થાય છે.

ગુજરાત ગુણવત્તા યાત્રા હવે ભવિષ્યના રાજ્યસ્તરની ગુણવત્તાની ચળવળો માટે એક નવા મોડેલ સ્વરૂપે ઉભરી આવી છે. જેમ જેમ QCI તેના પાયાના સ્તરે પહોંચને વિસ્તારવાનું ચાલુ રાખે છે, તેમ તેમ આ યાત્રા અસરકારક સહયોગ, સામુદાયિક ગતિશીલતા અને રાષ્ટ્રીય રૂપાંતરણનો નમૂનો પૂરો પાડે છે - જે ગુણવત્તા-પ્રથમ રાષ્ટ્ર માટે માર્ગ મોકળો કરે છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2133453)
Read this release in: English