આયુષ
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે "પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" પર ધ્યાન કેન્દ્રિત કરીને હરિત પહેલનું નેતૃત્વ કર્યુ

Posted On: 05 JUN 2025 3:21PM by PIB Ahmedabad

"પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગ રૂપે, આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા, રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ (RAV)એ નવી દિલ્હીમાં આયુષ મંત્રાલય પરિસરમાં વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સંરક્ષણ સાથે આયુર્વેદના ગાઢ જોડાણને પ્રકાશિત કરવાનો અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે આયુષ મંત્રાલયના સચિવ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વૈદ્ય રાજેશ કોટેચા અને રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના ડિરેક્ટર વૈદ્ય વંદના સિરોહા જોડાયા હતા.

શ્રી પ્રતાપરાવ જાધવે પર્યાવરણીય સંરક્ષણ પ્રયાસો સાથે આયુર્વેદિક સિદ્ધાંતોને એકીકૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. “આયુર્વેદ સ્વાભાવિક રીતે પર્યાવરણ પ્રત્યે સભાન છે. વિશ્વ પર્યાવરણ દિવસ પર, આપણે વૃક્ષો વાવીને અને પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડીને ટકાઉ જીવન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને ફરીથી વ્યક્ત કરીએ છીએ. ચાલો આપણે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા અને સ્વસ્થ ગ્રહનું સંવર્ધન કરવા માટે સાથે મળીને કામ કરીએ,” તેમણે કહ્યું હતું.

વૃક્ષારોપણમાં વિવિધ સ્વદેશી અને ઔષધીય છોડનો સમાવેશ થતો હતો.  જે પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાના આયુર્વેદિક દર્શનને ફરીથી રજૂ કરે છે. આ કાર્યક્રમ પ્લાસ્ટિક પ્રદૂષણની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા અને પરંપરાગત ભારતીય જ્ઞાન પ્રણાલીઓ સાથે જોડાયેલા વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરે છે.

વૈદ્ય રાજેશ કોટેચાએ આયુર્વેદ દ્વારા ટકાઉ ભવિષ્ય બનાવવા માટે મંત્રાલયના સક્રિય પ્રયાસો પર ભાર મૂક્યો હતો. વૈદ્ય દેવિન્દર ત્રિગુણાએ પર્યાવરણીય સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય વચ્ચેના ઊંડા મૂળિયા જોડાણ પર ભાર મૂક્યો હતો. વૈદ્ય વંદના સિરોહાએ પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક પહોંચ પ્રત્યે RAVની પ્રતિબદ્ધતાને ફરીથી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે, બધા ઉપસ્થિતોને કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.  જે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો વિશે જાગૃતિ લાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ પહેલથી સહભાગીઓને ટકાઉ ટેવો અપનાવવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પહેલ આયુષ મંત્રાલય અને આરએવી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક થીમ સાથે સુસંગત થવા અને પર્યાવરણીય અને માનવ સ્વાસ્થ્યને ટેકો આપતી પરંપરાગત પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવી રહેલી અનેક પહેલોમાંની એક છે.

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2134159)