સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વ પર્યાવરણ દિવસ પર પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વૃક્ષારોપણ સાથે વિશેષ વિરુપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો


ડાક વિભાગે વિશ્વ પર્યાવરણ દિવસ પર ‘પ્લાસ્ટિક પ્રદૂષણને માત આપો’ થીમ હેઠળ એક ઝુંબેશ શરૂ કરી

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ડાક કર્મચારીઓને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને કુદરતી સંસાધનો બચાવવા માટે પ્રેરણા આપી

Posted On: 05 JUN 2025 5:16PM by PIB Ahmedabad

ડાક વિભાગના નેજા હેઠળ 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અવસરે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ મુખ્ય ડાકઘરમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે વિશેષ વિરુપણ કર્યું અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. આવનારી પેઢીઓને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવો અને તેને પરિવારના સભ્યની જેમ સાચવો. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા તાપમાનને પણ આપણે વૃક્ષો અને વનસ્પતિઓ દ્વારા નિયંત્રિત કરી શકીએ છીએ.

શ્રી યાદવે અવસરે ડાક કર્મચારીઓનું ધ્યાન પર્યાવરણમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના કારણે થતી સમસ્યાઓ તરફ આકર્ષિત કર્યું અને દરેક ડાક કર્મચારીને વૃક્ષારોપણ દ્વારા તેના નિરાકરણમાં ભાગીદાર બનવા તેમજ ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પણ પ્રેરણા આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "પ્લાસ્ટિક પ્રદૂષણને માત આપો" છે. થીમ પ્લાસ્ટિક પ્રદૂષણના સંકટના ઉકેલને સમર્થન આપે છે અને લોકો, સમુદાયો અને સરકારોને સ્થિર અને ટકાઉ આચરણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. થીમ પ્લાસ્ટિક કચરાને ઘટાડવા અને સમાપ્ત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા તરફ પણ અગ્રેસર છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને કુદરતી સંસાધનો બચાવવા માટે પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે માત્ર ખાસ દિવસે વૃક્ષારોપણ કરીને સમસ્યાનું નિરાકરણ નહીં આવે, પણ આપણને દરેક દિવસને પર્યાવરણ દિવસની જેમ ઉજવવા માટે જાગૃત રહેવું પડશે અને પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરીને દર મહિને ઇકો-ફ્રેન્ડલી વૃક્ષોનું રોપણ કરવું પડશે. પર્યાવરણ સંરક્ષણ માટે આપણને ભાવિ પેઢીને પણ જાગૃત કરવી પડશે.

પ્રવર ડાક અધિક્ષક શ્રી આર. આર. વીરડાએ જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ કરવું આપણાં સૌનું દાયિત્વ છે. સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી કે. એસ. શુક્લાએ જણાવ્યું કે વૃક્ષ આપણને જીવન આપે છે, તેથી વૃક્ષારોપણ સાથે સાથે તેમનું સંરક્ષણ પણ અત્યંત જરૂરી છે. સહાયક નિદેશક શ્રી કે. એસ. ઠક્કરે 'એક વ્યક્તિ, એક વૃક્ષ'ના નારા સાથે વૃક્ષારોપણના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

અવસરે પ્રવર ડાક અધિક્ષક શ્રી આર. આર. વીરડા, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી કે. એસ. શુક્લા, સહાયક નિદેશક શ્રી કે. એસ. ઠક્કર, રેલ ડાક સેવાના અધિક્ષક શ્રી અનિલકુમાર, રાજકોટ ફિલાટેલિક એસોસિયેશનના સચિવ શ્રી એચ. સી. મહેતા, રાજકોટ ફિલાટેલિક સોસાયટીના સચિવ શ્રી જિગ્નેશ શાહ, શ્રી રાજેશ કોઠારી, સહાયક અધિક્ષક શ્રી બી. કે. જીડ, શ્રી કે. જી. જસાની, ડાક નિરીક્ષક શ્રી જે. જે. ડાંગર, શ્રી ડી. ડી. વાઘેલા, શ્રી ભાવેશ કુબાવત, શ્રી કિશોર ભટ્ટી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.


(Release ID: 2134215)
Read this release in: English