પ્રધાનમંત્રીનું કાર્યાલય
યુનાઇટેડ કિંગડમના વિદેશ સચિવ ડેવિડ લેમી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
ભારત-યુકે મુક્ત વેપાર કરાર અને બેવડા યોગદાન સંમેલનના સફળ સમાપન પર પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો
પીએમ મોદીએ આતંકવાદ સામે નિર્ણાયક આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો
Posted On:
07 JUN 2025 6:58PM by PIB Ahmedabad
યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ ભારત-યુકે મુક્ત વેપાર કરાર અને બેવડા યોગદાન સંમેલનના સફળ સમાપન પર સંતોષ વ્યક્ત કર્યો અને બંને પક્ષો દ્વારા રચનાત્મક જોડાણની પ્રશંસા કરી જેના કારણે આ સીમાચિહ્ન પ્રાપ્ત થયું.
પ્રધાનમંત્રી મોદીએ દ્વિપક્ષીય સંબંધોમાં વધતી ગતિનું સ્વાગત કર્યું અને ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના ગાઢ બનવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ટેકનોલોજી સુરક્ષા પહેલ હેઠળ સતત સહયોગનું સ્વાગત કર્યું અને વિશ્વસનીય અને સુરક્ષિત નવીનતા ઇકોસિસ્ટમને આકાર આપવાની તેની સંભાવનાની નોંધ લીધી હતી.
વિદેશ સચિવ ડેવિડ લેમીએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ટેકનોલોજી, નવીનતા અને સ્વચ્છ ઉર્જા સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવામાં યુકેના મજબૂત રસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એફટીએ બંને દેશો માટે નવી આર્થિક તકો ખોલશે.
બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. યુકેના વિદેશ સચિવે પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને સરહદ પાર આતંકવાદ સામે ભારતની લડાઈને ટેકો વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ આતંકવાદ અને તેને સમર્થન આપનારાઓ સામે નિર્ણાયક આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી સર કીર સ્ટાર્મરને હાર્દિક શુભેચ્છા પાઠવી અને શક્ય તેટલી વહેલી તકે ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
AP/IJ/GP/JD
(Release ID: 2134905)