પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

શહેરને ફરીથી જીવંત બનાવવું: સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન થયું

Posted On: 11 JUN 2025 10:49AM by PIB Ahmedabad

સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) એ તેના મુખ્ય કાર્યક્રમ AmdaVadmA હેઠળ CEE કેમ્પસ, અમદાવાદ ખાતે "મેકિંગ ધ સિટી વાઇલ્ડ અગેઇન - અ કોલ ટુ ગ્રીન એક્શન" શીર્ષક સાથે એક સમૃદ્ધ અને વિચાર-પ્રેરક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ (IIA) અમદાવાદ ચેપ્ટર અને અગ્રણી આર્કિટેક્ચર સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓએ ટકાઉ શહેરી ભવિષ્ય વિશે સહિયારા સંવાદમાં જોડાવા માટે એકત્ર થયા હતા. આ કાર્યક્રમની શરૂઆત આર્કિટેક્ટ અનલ કાપડિયા વૈષ્ણવના આકર્ષક મુખ્ય સંબોધનથી થઈ હતી, જેમણે સ્થિરતા અને શહેરી હરિયાળીને પ્રોત્સાહન આપવામાં સ્થાપત્યની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને યુવા ડિઝાઇનરોને તેમના ડિઝાઇન સિદ્ધાંતોમાં પર્યાવરણીય સંવેદનશીલતાને સામેલ કરવા વિનંતી કરી હતી.

ત્યાર બાદ શ્રી ધૈવત હાથી દ્વારા એક આકર્ષક સત્ર યોજાયું હતું. જેમાં તેમણે શહેરી જૈવવિવિધતા અને પક્ષી ઇકોલોજીના વારંવાર અવગણવામાં આવતા ક્ષેત્રની ચર્ચા કરી અને ઝડપથી શહેરીકરણ કરતા શહેરોમાં પક્ષીજીવન અને સ્થાનિક વનસ્પતિને ટેકો આપતા સ્થળો બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ત્યારબાદ સહભાગીઓ શ્રી સાગર શેખ (CEE)ના નેતૃત્વ હેઠળ લીલાછમ CEE કેમ્પસમાં માર્ગદર્શિત નેચર ટ્રેલમાં જોડાયા હતા. જેમણે મૂળ વૃક્ષોની પ્રજાતિઓના ઇકોલોજીકલ મૂલ્ય અને પ્રકૃતિ આધારિત આબોહવા ઉકેલ તરીકે પુનઃઉત્પાદનના સિદ્ધાંતો સમજાવ્યા હતા.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત આર્કિટેક્ટ પ્રો. નીલકંઠ છાયા દ્વારા એક ખાસ સત્ર હતું, જેમણે અમદાવાદના પુનઃઉત્પાદન પરના તેમના વિચારોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રો. છાયાએ CEE કેમ્પસની રચના પાછળની ડિઝાઇન ફિલોસોફી અંગેની વાત શેર કરી હતી. તેમજ પર્યાવરણીય સંભાળને પ્રેરણા આપવા માટે સ્થાપત્ય પ્રકૃતિ સાથે કેવી રીતે સુમેળ સાધી શકે છે તેના પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમનું સમાપન શહેરી જીવનમાં પ્રકૃતિને સમાવિષ્ટ કરવાના કાર્યક્ષમ રસ્તાઓ પર સહભાગીઓ વચ્ચે જીવંત ખુલ્લી ચર્ચા સાથે થયું હતું. જેમાં "રિવાઇલ્ડિંગ ધ સિટી"ની થીમને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા અને આબોહવા અનુકૂલન તરફ એક મહત્વપૂર્ણ પગલા તરીકે મજબૂત બનાવવામાં આવી હતી.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2135549)