નાગરિક ઉડ્ડયન મંત્રાલય
અમદાવાદમાં થયેલી AI171 પ્લેન ક્રેશ દૂર્ઘટના માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા
Posted On:
12 JUN 2025 4:08PM by PIB Ahmedabad
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં AI171 વિમાન દુર્ઘટના માટે સહાય અથવા માહિતી માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે, કૃપા કરીને સંપર્ક કરો: (દિલ્હી કંટ્રોલ રૂમ) 011-24610843, 9650391859 ઓપરેશન કંટ્રોલ રૂમ (અમદાવાદ) - 9974111327, 9650391859. જ્યારે રાજ્ય સરકારે રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમનો ફોન નંબર 079-232-51900 છે અને સંબંધિતો દ્વારા મો. નં. 9978405304 પર સંપર્ક કરી શકાય છે.
આ સાથે, એર ઇન્ડિયાએ મુસાફરો સંબંધિત પૂછપરછ માટે સમર્પિત નંબર 1800 5691 444 જાહેર કર્યો છે અને મીડિયા માટે સમર્પિત મો. નં. +91 9821414954 આપવામાં આવ્યો છે.
ઉપરાંત, અમદાવાદ પોલીસની કટોકટી સેવાઓ અને આ અકસ્માત સંબંધિત જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર 07925620359 પ્રદાન કરવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે: 6357373831, 6357373841.
AP/IJ/GP/JD
(Release ID: 2135932)