આયુષ
પ્રધાનમંત્રીના આહ્વાન પર, ગ્રામ પંચાયતો IDY 2025ની ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી ઉજવણી માટે તૈયારી કરી રહી છે
પ્રધાનમંત્રીનો ગ્રામ પ્રધાનોને IDY 2025 માટે સમુદાયની ભાગીદારીનું નેતૃત્વ કરવા અનુરોધ
યોગે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે: પ્રધાનમંત્રીએ ગ્રામ પ્રધાનોને કહ્યું
પ્રધાનમંત્રીના હૃદયસ્પર્શી આહ્વાનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સાચા જન-આંદોલનમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે, જેમાં ભારતના ગામડાઓ યોગને જીવનનો માર્ગ તરીકે સ્વીકારે છે: આયુષ મંત્રી
Posted On:
18 JUN 2025 7:11PM by PIB Ahmedabad
દેશભરની પંચાયતો આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ને ઐતિહાસિક બનાવવા માટે મોટા પાયે એકત્રીકરણ સાથે તૈયારીઓ કરી રહી છે. આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પત્રના જવાબમાં છે જ્યાં તેમણે ગ્રામ પ્રધાનોને તેમના પંચાયત વિસ્તારના નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા અને પ્રેરણા આપવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ પત્ર દ્વારા ગ્રામ પ્રધાનોને યોગને સામુદાયિક જીવનનો ભાગ બનાવવા માટે આગળ આવી નેતૃત્વ કરવા વિનંતી કરી હતી. ઉત્સાહ સાથે પ્રતિભાવ આપતા, પંચાયતો શાળાઓ, આંગણવાડીઓ, પંચાયત ભવનો અને જાહેર સ્થળોએ ખાસ યોગ સત્રો, સમુદાય આઉટરીચ પ્રવૃત્તિઓ અને સામાન્ય યોગ પ્રોટોકોલ પ્રદર્શનોનું આયોજન કરી રહી છે. જે IDY 2025ને ગ્રામ્ય સ્તરે સાચા જન-આંદોલન (લોક ચળવળ)માં પરિવર્તિત કરી રહી છે.
IDYના આગામી સંસ્કરણના મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તે ફક્ત એક વૈશ્વિક ઉજવણી નથી. પરંતુ વૈશ્વિક મંચ પર યોગના પુનરુત્થાનની એક અર્થપૂર્ણ દાયકા લાંબી સફરના પૂર્ણાહુતિનું પણ પ્રતીક છે. "એ ગર્વની વાત છે કે યોગે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે," પત્રમાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

આ વર્ષની થીમ - "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ" - ફક્ત વ્યક્તિગત સુખાકારી પર જ નહીં, પરંતુ માનવતા વચ્ચે એકતાની ભાવના, પર્યાવરણીય સંવાદિતા અને વૈશ્વિક કલ્યાણ પર ભાર મૂકે છે. પ્રધાનમંત્રીએ યોગને "આપણા સાંસ્કૃતિક વારસાનો અવિભાજ્ય ભાગ" ગણાવ્યો. જે શરીર અને મનને સંતુલિત કરે છે અને વ્યક્તિઓને એક સંપૂર્ણ અને શાંતિપૂર્ણ જીવન તરફ માર્ગદર્શન આપે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યોગ શારીરિક અને માનસિક રીતે મજબૂત નાગરિકોને પ્રોત્સાહન આપીને વિકસિત ભારતના રાષ્ટ્રના સામૂહિક દ્રષ્ટિકોણમાં સશક્તીકરણની ભૂમિકા ભજવે છે.
પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં ગ્રામ પ્રધાનોને પંચાયત ભવનો, આંગણવાડીઓ, શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જેવા સામુદાયિક સ્થળોએ યોગ સત્રોનું આયોજન કરીને ગ્રામજનોની મહત્તમ ભાગીદારી એકત્રિત કરવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો - બધા વર્ગોની સમાવેશી ભાગીદારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. જેથી દરેક નાગરિક યોગના ફાયદાઓનો અનુભવ કરી શકે.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પહેલ દરેક ઘર સુધી પહોંચશે અને લોકોને યોગને તેમના રોજિંદા જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરણા આપશે.
કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે દેશભરની ગ્રામ પંચાયતોના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું: "ગ્રામ પંચાયતો તરફથી મળેલો જબરદસ્ત પ્રતિસાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વનો પુરાવો છે. તેમના હૃદયસ્પર્શી આહ્વાનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સાચા જન-આંદોલનમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે, જેમાં ભારતભરના ગામડાઓ યોગને જીવનશૈલી તરીકે અપનાવી રહ્યા છે. આ પાયાના પ્રયાસો યોગ દ્વારા સાકલ્યવાદી સ્વાસ્થ્ય પ્રત્યે ઊંડા સાંસ્કૃતિક જોડાણ અને વધતી જતી જાહેર પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે."
ઉત્તર પ્રદેશના જૌનપુરના કેરાકટમાં આવેલા પરિયારી ગામના સરપંચ ઓમ પ્રકાશ યાદવે જણાવ્યું કે કેવી રીતે પ્રધાનમંત્રીનો પત્ર સમુદાય માટે હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક સંદેશ હતો. "આ પત્ર પ્રધાનમંત્રીના વ્યક્તિગત સંદેશ જેવો લાગ્યો અને તે ખરેખર આપણા આખા ગામને યોગ અપનાવવા માટે પ્રેરિત કરે છે," તેમણે કહ્યું. આ અપીલ બાદ, ગામમાં પંચાયત ભવનમાં સાપ્તાહિક યોગ સત્રોનું આયોજન શરૂ થયું અને શાળાના બાળકો માટે તેમના આત્મવિશ્વાસ અને શિસ્તને વધારવા માટે યોગ સ્પર્ધાઓ શરૂ કરવામાં આવી છે. ગામના તમામ વર્ગોમાંથી ઉત્સાહપૂર્વક ભાગ લઈને, એક ખાસ 'યોગ યાત્રા ' પણ કાઢવામાં આવી, જેમાં વ્યાપક જાગૃતિ અને યોગ દ્વારા એકતાની મજબૂત ભાવના ઉભી થઈ છે.
દમોહના બંદકપુર ગામના ગ્રામ પ્રધાન સુનિલ કુમાર ડબલ્યુએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી સંદેશ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે જણાવ્યું કે "પ્રધાનમંત્રીની ઐતિહાસિક પહેલે યોગને ખરેખર એક જન આંદોલનમાં પરિવર્તિત કર્યો છે, જે દેશભરના દરેક ગામ સુધી પહોંચ્યો છે," પોતાના ગામની તૈયારીઓ શેર કરતા તેમણે ઉમેર્યું, "અમે અમારા પંચાયત વિસ્તારમાં મહત્તમ સમુદાય ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યા છીએ અને 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સામાન્ય યોગ પ્રોટોકોલ હેઠળ એક ખાસ યોગ સત્રનું આયોજન કરીશું. અમારા ગ્રામજનો આ સામૂહિક પ્રથામાં ભાગ લેવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે." તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે પંચાયત સ્તરે એક વ્યાપક જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. જેથી ખાતરી કરી શકાય કે દરેક ઘરને ઉજવણીમાં જોડાવા માટે જાણ કરવામાં આવે અને પ્રેરણા મળે.
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં ગ્રામ પંચાયત ખેરા કુર્સીના સરપંચ પવની મિશ્રાએ પ્રધાનમંત્રીનો પત્ર મળતાં ગર્વ અને પ્રેરણા વ્યક્ત કરી. "આ અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે," તેમણે શેર કર્યું. "આ પત્રથી અમને ફક્ત યોગનો અભ્યાસ કરવા જ નહીં પરંતુ તેને જીવનશૈલી તરીકે અપનાવવા માટે પણ પ્રેરણા મળી છે." IDY 2025ની તૈયારીમાં, પંચાયતે તમામ વય જૂથો માટે ખાસ યોગ કાર્યક્રમો શરૂ કર્યા છે. પર્વતીય વિસ્તાર હોવા છતાં, સ્થાનિક યુવાનો ઓપન એર યોગ સ્થળ વિકસાવવા માટે ભેગા થયા છે, જ્યાં હવે નિયમિત સવારના સત્રો યોજવામાં આવે છે. મહિલા જૂથોએ 'સ્વાસ્થ્ય એ સંપત્તિ છે' થીમ હેઠળ જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે, જેમાં યોગ અને પોષણ પર ચર્ચાઓ યોજાઈ છે. વધુમાં, 'યોગ દ્વારા સમૃદ્ધિ' થીમ પર ગ્રામ્ય સ્તરની ચિત્રકામ અને નિબંધ સ્પર્ધાઓમાં બાળકોનો ઉત્સાહપૂર્ણ ભાગ જોવા મળ્યો. "અમને વિશ્વાસ છે," તેમણે ઉમેર્યું, "આ સામૂહિક પ્રયાસ દ્વારા, IDY 2025 પાયાના સ્તરે એક ઐતિહાસિક અને ખરેખર લોકોના નેતૃત્વ હેઠળ ઉજવણી બનશે."
AP/IJ/GP/JD
(Release ID: 2137491)