માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

IITGN ખાતે 14માં દીક્ષાંત સમારંભ અગાઉ વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું પુરસ્કાર વિતરણ દ્વારા સન્માન

Posted On: 20 JUN 2025 7:56PM by PIB Ahmedabad

ભારતીય તકનિકી સંસ્થા ગાંધીનગર (IITGN) મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે પોતાના 14માં દીક્ષાંત પૂર્વે બીજા વાર્ષિક પુરસ્કાર સમારોહનું આયોજન કર્યું, જેમાં 46 કરતાં વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, નેતૃત્વ, રમતગમત, કલા-સંસ્કૃતિ અને સામાજિક સેવામાં અનોખા યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા.

વર્ષે કુલ 46 વિદ્યાર્થીઓને શૈક્ષણિક શ્રેષ્ઠતા, નેતૃત્વ, સંસ્કૃતિ અને સેવા ક્ષેત્રે નોંધપાત્ર કારગિરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. MTech, MSc, MA, BTech અને PhD કાર્યક્રમોમાંથી President’s અને Director’s Gold Medal મેળવનારા વિદ્યાર્થીઓ સહિત કુલ ૪૬ પદકવિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. ચાર વિદ્યાર્થીઓને Director’s Gold Medal અને ત્રણ વિદ્યાર્થીઓને President’s Gold Medal એનાયત કરવામાં આવ્યા, જ્યારે ઉત્તમ સંશોધન માટે ચાર વિદ્યાર્થીઓને વિશેષ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. વિવિધ વિષયશાખાઓ જેમ કે Biological, Chemical, Civil, Computer Science, Electrical, Materials, Mechanical Engineering, Chemistry, Cognitive Science, Mathematics અને Physics માં શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને 20 Institute Gold Medals આપવામાં આવ્યા. ઉપરાંત, એક વિદ્યાર્થીને "Outstanding Leadership Award"થી સન્માનિત કરવામાં આવ્યો હતો. રમતગમત, ઉદ્યોગસાહસિકતા, વિદ્યાર્થી પહેલ, કળા-સંસ્કૃતિ અને સામાજિક સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ 14 પ્રશંસા પુરસ્કારો (Commendation Awards) એનાયત કરવામાં આવ્યા, જેમાં આવા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમણે સામાજિક પહેલોનું નેતૃત્વ કર્યું, કેમ્પસ ઉત્સવોનું સંચાલન કર્યું, વાસ્તવિક જીવનની સમસ્યાઓ માટે ઉકેલો રજૂ કર્યા અને પોતાની સર્જનાત્મકતા માટે સતત સમર્પણ દર્શાવ્યું.

 

એવોર્ડ વિજેતાઓ અને સમારોહ વિશે પોતાની વાત રજૂ કરતાં વિદ્યાર્થીઓ બાબતોના ડીન, પ્રોફેસર સિવપ્રિયા કિરૂબાકરણે જણાવ્યું: “આપણા વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ મેળવનારા નથી, તેઓ પરિવર્તન લાવનારા, કલાકારો, ખેલાડીઓ, સંશોધક અને સમર્પિત સમુદાયના નેતાઓ છે. સમારંભ તેમના સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે. ” કાર્યક્રમે આઈઆઈટી ગાંધીનગરની મૂળ ભવ્યતા અને દૃષ્ટિકોણને મજબૂત બનાવ્યો, કે શિક્ષણ માત્ર બુદ્ધિગમ્ય સિદ્ધિ સુધી સીમિત નથી, પરંતુ તે પાત્રતાનો વિકાસ, સર્જનાત્મકતા અને માનવતાવાદી કરુણાનું નિર્માણ કરવાનું સાધન પણ છે. “આઈઆઈટી ગાંધીનગરમાં અમે દૃઢપણે માનીએ છીએ કે સાચું સર્વાંગી શિક્ષણ મન અને આત્માને સમૃદ્ધ બનાવે છે અને વિદ્યાર્થીઓને ખુશહાલ, સર્વાંગી રીતે સંતુલિત વિકસિત વ્યક્તિ તથા જવાબદાર નાગરિક તરીકે ઘડે છે, જે સમાજમાં અર્થપૂર્ણ સકારાત્મક યોગદાન આપી શકે.”

મુખ્ય અતિથિ શ્રી એસ. પી. શુક્લા, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન [એરો, ડિફેન્સ, એગ્રી સેક્ટર્સ], તેમના સંબોધનમાં જણાવ્યું કે IITGN જેવી સંસ્થાઓ માત્ર બુદ્ધિશાળી નહીં પરંતુ પ્રેરિત પેઢી ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમણે મહત્ત્વાકાંક્ષા અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું, “તમારો સમય, ઊર્જા અને સંસાધનો રીતે વહેંચો કે તમે ત્રણેય માટેતમારા સ્વ અને કારકિર્દી માટે, તમારા પરિવાર માટે અને સમાજ માટે, તમારી જવાબદારી નિભાવશો.” તેમણે વિદ્યાર્થીઓને હિંમત અને ગૌરવ સાથે વિશ્વમાં પગલું રાખવા અને માત્ર પોતાનું નહિ, પણ પોતાની માતૃસંસ્થાનું નામ પણ ઉજળું કરવા માટે પ્રોત્સાહિત કર્યા.


(Release ID: 2138135)