રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમૂહ યોગ પ્રદર્શનમાં ભાગ લીધો
Posted On:
21 JUN 2025 6:37PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (21 જૂન, 2025) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દહેરાદૂનના ઉત્તરાખંડ રાજ્ય પોલીસ લાઇન મેદાન ખાતે એક સમૂહ યોગ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

યોગ સત્ર પછીના તેમના સંક્ષિપ્ત ભાષણમાં, રાષ્ટ્રપતિએ વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે યોગનો અભ્યાસ કરી રહેલા તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે 2015 થી, યોગ સમગ્ર માનવજાતનો એક સામાન્ય વારસો બની ગયો છે. તે ભારતનાં ‘સોફ્ટ પાવર'નું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ એ સ્વસ્થ જીવન જીવવાની કળા છે, જેને અપનાવવાથી માનવીના શરીર, મન અને એકંદર વ્યક્તિત્વને ફાયદો થાય છે. જ્યારે વ્યક્તિ સ્વસ્થ હોય છે, ત્યારે પરિવાર સ્વસ્થ રહે છે. જ્યારે પરિવાર અને સમાજ સ્વસ્થ રહે છે, ત્યારે દેશ સ્વસ્થ રહે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે 'યોગ'નો અર્થ 'જોડાવું' થાય છે. યોગનો અભ્યાસ વ્યક્તિના શરીર, મન અને આત્માને જોડે છે અને વ્યક્તિને સ્વસ્થ બનાવે છે. યોગ એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે, એક સમુદાયને બીજા સમુદાય સાથે અને એક દેશને બીજા દેશ સાથે પણ જોડી શકે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે એક સામાન્ય માન્યતા છે કે ઉપચાર કરતાં નિવારણની નીતિ વધુ અસરકારક છે. યોગને નિવારણમાં ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તેમણે દરેકને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને અન્ય લોકોને યોગ કરવા માટે પ્રેરણા આપવા વિનંતી કરી હતી.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-
AP/IJ/GP/JD
(Release ID: 2138575)