રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

RailOne એપનું લોન્ચિંગ: મુસાફરોની બધી આવશ્યક સેવાઓ માટે વન-સ્ટોપ સોલ્યુશન

Posted On: 01 JUL 2025 3:19PM by PIB Ahmedabad

રેલવે મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. નવી પેઢીની ટ્રેનોની રજૂઆત, સ્ટેશનોનો પુનર્વિકાસ, જૂના કોચને નવા LHB કોચમાં અપગ્રેડ કરવા અને આવા ઘણા પગલાંઓ છેલ્લા દાયકામાં મુસાફરોના અનુભવમાં સુધારો લાવ્યા છે.

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS)ના 40મા સ્થાપના દિવસે એક નવી એપ, RailOne લોન્ચ કરી. RailOne રેલવે સાથે મુસાફરોની ક્રિયાપ્રતિક્રિયા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

તે વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ સાથે એક વ્યાપક, ઓલ-ઇન-વન એપ્લિકેશન છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. તે બધી મુસાફરોની સેવાઓને એકીકૃત કરે છે જેમ કે:

  • અનામત અને પ્લેટફોર્મ ટિકિટ પર 3% ડિસ્કાઉન્ટ
  • લાઈવ ટ્રેન ટ્રેકિંગ
  • ફરિયાદ નિવારણ
  • ઈ-કેટરિંગ, પોર્ટર બુકિંગ અને લાસ્ટ માઈલ ટેક્સી

IRCTC પર ટિકિટનું રિઝર્વેશન ચાલુ રહેશે. IRCTC સાથે ભાગીદારી કરતી અન્ય ઘણી કોમર્શિયલ એપ્લિકેશનોની જેમ RailOne એપ IRCTC દ્વારા અધિકૃત છે.

RailOne પાસે સિંગલ સાઇન-ઓન સુવિધા છે જ્યાં m-PIN અથવા બાયોમેટ્રિક દ્વારા લોગિન કરી શકાય છે. તે હાલના RailConnect અને UTS ઓળખપત્રોને પણ સપોર્ટ કરે છે. આ એપ જગ્યા બચાવનારી છે કારણ કે તે વપરાશકર્તાઓને વિવિધ સેવાઓ માટે અલગ એપ્સ રાખવાની જરૂરિયાતને દૂર કરે છે.

ડિસેમ્બર 2025 સુધીમાં આધુનિક પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)

રેલવે મંત્રીએ CRISની સમગ્ર ટીમને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા. તેમણે CRISને ભારતીય રેલવેના ડિજિટલ કોરને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી.

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે હાલના PRSને અપગ્રેડ કરવામાં થયેલી પ્રગતિ માટે CRIS ટીમની પ્રશંસા કરી હતી. આધુનિક PRS ઝડપી, બહુભાષી અને હાલના કરતા 10 ગણો વધુ ભાર સંભાળવા સક્ષમ હશે. તે પ્રતિ મિનિટ 1.5 લાખ ટિકિટ બુકિંગ અને 40 લાખ પૂછપરછની સુવિધા આપશે.

નવો PRS વ્યાપક હશે, જેમાં સીટ પસંદગી અને ભાડા કેલેન્ડર માટે અદ્યતન કાર્યક્ષમતાઓ અને દિવ્યાંગજનો, વિદ્યાર્થીઓ, દર્દીઓ વગેરે માટે સંકલિત વિકલ્પો હશે.

ભવિષ્યને વ્યાખ્યાયિત કરતી ટેકનોલોજી

ભારતીય રેલવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ કામ કરી રહી છે. જેથી તેને ભારતની વિકાસ યાત્રાનું એન્જિન બનાવી શકાય. રેલવન એપનું લોન્ચિંગ ભારતીય રેલવેની ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવા અને દરેક મુસાફરને વિશ્વસ્તરીય ગતિશીલતા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ આપે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2141278)