પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
06 JUL 2025 7:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડૉ. મુખર્જીના અપ્રતિમ યોગદાનને યાદ કરતા શ્રી મોદીએ કહ્યું કે તેમણે દેશના સન્માન, ગરિમા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે તેમના આદર્શો અને સિદ્ધાંતો અમૂલ્ય છે.
એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાષ્ટ્રના અમર સપૂત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે દેશના સન્માન અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે તેમના આદર્શો અને સિદ્ધાંતો અમૂલ્ય છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2142636)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam