પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત
Posted On:
09 JUL 2025 7:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નામિબિયાની સત્તાવાર મુલાકાતે છે. આ પ્રસંગે, નામિબિયાના રાષ્ટ્રપતિ, મહામહિમ નેતુમ્બો નંદી-નદૈતવાહએ પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર - ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલ્વિટ્શિયા મિરાબિલિસ એનાયત કર્યો છે. તેઓ આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય નેતા છે.
પુરસ્કાર સ્વીકારીને, પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના 1.4 અબજ લોકો અને ભારત અને નામિબિયા વચ્ચેના ઐતિહાસિક અને સ્થાયી સંબંધોને સમર્પિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ સન્માન બદલ રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહ અને નામિબિયાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીને આ પુરસ્કાર એનાયત થવો એ ભારત અને નામિબિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે અને બંને દેશોની યુવા પેઢીઓ માટે આ ખાસ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
AP/IJ/GP/JD
(Release ID: 2143517)
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam