સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પોસ્ટલ પેન્શનરો માટે 28 જુલાઈના રોજ પેન્શન અદાલતનું આયોજન

Posted On: 14 JUL 2025 12:47PM by PIB Ahmedabad

પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ પેન્શનરોની ફરિયાદોના નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પેન્શન અદાલત 28 જુલાઈ, 2025 (સોમવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે. પેન્શન અદાલત પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા-390002ની ઓફિસ ખાતે યોજાશે. પોસ્ટમાસ્ટર જનરલ દરેક ફરિયાદ વ્યક્તિગત રીતે સાંભળશે.

ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો જ સ્વીકારવામાં આવશે.ફરિયાદ મોકલવાની છેલ્લી તારીખ 21 જુલાઈ, 2025 (સોમવાર) છે. ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો એકાઉન્ટ્સ ઓફિસર, પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા પ્રદેશ, પ્રતાપગંજ, વડોદરા-390002 અથવા anp.rovdr@indiapost.gov.in પર ઇમેઇલ દ્વારા મોકલવાની રહેશે.

ફરિયાદ ચોક્કસ અને સંક્ષિપ્ત હોવી જોઈએ. સામાન્ય પ્રકૃતિ અને નીતિ વિષયક બાબતોની ફરિયાદ પર વિચાર કરવામાં આવશે નહીં.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2144476)