પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 15 JUL 2025 9:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે ટિપ્પણી કરી કે થિરુ કામરાજજીના ઉમદા આદર્શો અને સામાજિક ન્યાય પર ભાર આપણને સૌને ખૂબ પ્રેરણા આપે છે.

X પર અલગ અલગ પોસ્ટ્સમાં, પીએમએ જણાવ્યું:

"હું શ્રી કે. કામરાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મોખરે હતા અને સ્વતંત્રતા પછીની આપણી યાત્રાના પ્રારંભિક વર્ષો દરમિયાન અમૂલ્ય નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના ઉચ્ચ વિચારો અને સામાજિક ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા આપણા સૌ માટે એક મહાન પ્રેરણા રહેશે."

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2144738)