ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ખાદ્ય સંગ્રહ માટે ISI માર્ક વિના ઇન્સ્યુલેટેડ કન્ટેનર બનાવતા એકમ પર ભારતીય માનક બ્યુરોએ દરોડા પાડ્યા

Posted On: 17 JUL 2025 11:56AM by PIB Ahmedabad

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓએ મેસર્સ સેલો હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ (યુનિટ III), સર્વે નં. 597/2-એ, સોમનાથ રોડ, દાભેલ, દમણ-396210 પર 16-07-2025ના રોજ દરોડો પાડ્યો હતો, જે ISI માર્ક વિના ખાદ્ય સંગ્રહ માટે ઇન્સ્યુલેટેડ કન્ટેનરનું ઉત્પાદન કરતી હતી. દરોડા દરમિયાન પેઢીમાંથી ISI માર્ક વિના 3632 પીસી ઇન્સ્યુલેટેડ કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા હતા. ઇન્સ્યુલેટેડ કન્ટેનર માટે BIS લાઇસન્સ હોવા છતાં, ઉપરોક્ત પેઢી ISI માર્ક વિના ઇન્સ્યુલેટેડ કન્ટેનરનું ઉત્પાદન કરતી હતી. ISI માર્ક વિના ઇન્સ્યુલેટેડ કન્ટેનરનું ઉત્પાદન કરી શકાતું નથી. તેથી, ઉપરોક્ત પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઓર્ડર નંબર-CG-DL-E-06032024-252654 મુજબ  તારીખ 05 માર્ચ 2024ના રોજ જારી કરાયેલા ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, બોટલ અને કન્ટેનર (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર-2024ના રોજ ઇન્સ્યુલેટેડ કન્ટેનર આઈ એસ આઈ (ISI) માર્ક  05-06-2024  પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી વગર આઈ એસ આઈ માર્ક લગાવેલ ઇન્સ્યુલેટેડ કન્ટેનરનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરૂપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 અથવા ફોન નં. 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2145432)