સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
સર્કલ ડાક અદાલત ફક્ત તે ફરિયાદો માટે જ છે જે પ્રાદેશિક ડાક અદાલતમાં ઉઠાવવામાં આવી હતી, પરંતુ સમાધાન માટે બાકી હતી
Posted On:
17 JUL 2025 5:29PM by PIB Ahmedabad
ટપાલ સેવાને લગતા પ્રશ્નો ના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ- 380001 ખાતે તા. 30-07-2025ને બુધવાjના રોજ 11.30 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. સર્કલ ડાક અદાલત ફક્ત તે ફરિયાદો માટે જ છે જે પ્રાદેશિક ડાક અદાલતમાં ઉઠાવવામાં આવી હતી, પરંતુ સમાધાન માટે બાકી હતી
ટપાલ સેવા સબંધી અદાલત માં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (કંપ્લેઇન્ટ ઓફિસર), કંપ્લેઇન્ટ સેક્સન,મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડામાં મોડી તારીખ 24-07-2025ને ગુરુવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.
(Release ID: 2145554)