સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલત
Posted On:
22 JUL 2025 12:51PM by PIB Ahmedabad
ટપાલ વિભાગના નિવૃત કર્મચારીઓના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ (હેડ ક્વાર્ટર પરિક્ષેત્ર)ની કચેરી, “સ્પીડપોસ્ટ ભવન", શાહીબાગ, અમદાવાદ-380004 ખાતે તારીખ 12.08.2025 (મંગળવાર)ના રોજ 11:00 કલાકે “પેન્શન અદાલત”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયના પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
હેડ ક્વાર્ટર પરિક્ષેત્ર, અમદાવાદને લગતી પેન્શન સંબંધી ફરિયાદો વરિષ્ઠ લેખાધિકારી, પેન્શન સેક્શન, પોસ્ટમાસ્ટર જનરલ (હેડ ક્વાર્ટર પરિક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ને મોડામાં મોડી તારીખ 31.07.2025 (ગુરુવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2146701)