પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નાગરિકોને સ્વતંત્રતા દિવસ 2025 પર તેમના સંબોધન માટે વિચારો શેર કરવા અપીલ કરી

Posted On: 01 AUG 2025 8:52AM by PIB Ahmedabad

ભારત 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમના સંબોધન માટે તમામ નાગરિકોને વિચારો અને સૂચનો શેર કરવા અપીલ કરી છે.

X પર શેર કરેલા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"આ વર્ષનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે હું મારા સાથી ભારતીયોના વિચાર જાણવા માટે આતુર છું!

આ વર્ષના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં તમે કયા વિષય અથવા વિચારો પ્રતિબિંબિત થતા જોવા માંગો છો?

MyGov અને NaMo એપ પર ઓપન ફોરમ પર તમારા વિચારો શેર કરો...

https://www.mygov.in/group-issue/let-your-ideas-and-suggestions-be-part-pm-modis-independence-day-speech-2025/

https://nm-4.com/MXPBRN”

 

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2151158)