પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના ગોંડામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ PMNRFમાંથી સહાયની જાહેરાત કરી
Posted On:
03 AUG 2025 1:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગોંડામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું:
"ઉત્તર પ્રદેશના ગોંડામાં થયેલા અકસ્માતમાં થયેલા મૃત્યુથી ખૂબ દુઃખ થયું છે. આ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત મૃતકોના પરિવારજનોને કરવામાં આવશે. ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"
AP/NP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2151925)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam