પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છા પાઠવી, સંસ્કૃત વારસાના જતન અને પ્રોત્સાહન માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
प्रविष्टि तिथि:
09 AUG 2025 10:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રાવણ પૂર્ણિમાના અવસરે વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સંસ્કૃતને "જ્ઞાન અને અભિવ્યક્તિનો શાશ્વત સ્ત્રોત" ગણાવતા, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં તેના કાયમી પ્રભાવ પર ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ વિશ્વભરના વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓના સમર્પણની પ્રશંસા કરી જેઓ સંસ્કૃત શીખવા, શીખવવા અને લોકપ્રિય બનાવવામાં અવિરતપણે રોકાયેલા છે. તેમણે ભાર મૂક્યો કે છેલ્લા દાયકામાં, સરકારે સંસ્કૃત શિક્ષણ અને સંશોધનને મજબૂત બનાવવા માટે ઘણા પગલાં લીધાં છે, જેમ કે કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીઓની સ્થાપના, સંસ્કૃત શિક્ષણ કેન્દ્રો ખોલવા, સંસ્કૃત વિદ્વાનોને અનુદાન પૂરું પાડવું અને હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે જ્ઞાન ભારતમ મિશન શરૂ કરવું.
X પર પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું;
“આજે, શ્રાવણ પૂર્ણિમાના અવસરે આપણે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. સંસ્કૃત જ્ઞાન અને અભિવ્યક્તિનો શાશ્વત સ્ત્રોત છે. તેનો પ્રભાવ તમામ ક્ષેત્રોમાં જોઈ શકાય છે. આ દિવસ વિશ્વભરના દરેક વ્યક્તિના પ્રયત્નોની પ્રશંસા કરવાનો પ્રસંગ છે, જે સંસ્કૃત શીખી રહ્યા છે અને લોકપ્રિય બનાવી રહ્યા છે.”
છેલ્લા દાયકામાં આપણી સરકારે સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. આમાં કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીઓ, સંસ્કૃત શિક્ષણ કેન્દ્રોની સ્થાપના, સંસ્કૃત વિદ્વાનોને અનુદાન પૂરું પાડવું અને હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે જ્ઞાન ભારતમ મિશનનો સમાવેશ થાય છે. આનાથી અસંખ્ય વિદ્યાર્થીઓ અને સંશોધકોને ફાયદો થયો છે.
"આજે આપણે શ્રાવણ પૂર્ણિમાના અવસરે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. સંસ્કૃત જ્ઞાન અને અભિવ્યક્તિનો શાશ્વત સ્ત્રોત છે. તેનો પ્રભાવ તમામ ક્ષેત્રોમાં જોઈ શકાય છે. આ દિવસ વિશ્વભરમાં સંસ્કૃત શીખનારા અને લોકપ્રિય બનાવનારા દરેક વ્યક્તિના પ્રયત્નોની પ્રશંસા કરવાનો ઉત્તમ પ્રસંગ છે."
“पिछले एक दशक से ज्यादा समय में हमारी सरकार ने संस्कृत को लोकप्रिय बनाने के लिए अनेक प्रयास किए हैं। इनमें केंद्रीय संस्कृत विश्वविद्यालय, संस्कृत शिक्षण केंद्रों की स्थापना, संस्कृत विद्वानों को अनुदान प्रदान करना और पांडुलिपियों के डिजिटलीकरण के लिए ज्ञान भारतम मिशन शामिल हैं। इससे अनगिनत विद्यार्थियों और शोधकर्ताओं को लाभ हुआ है।”
“अद्य श्रावणपूर्णिमादिने वयं विश्वसंस्कृतदिवसम् आचरामः। संस्कृतभाषा ज्ञानस्य अभिव्यक्तेः च अनादिस्रोतः अस्ति। तस्याः प्रभावः विविधेषु क्षेत्रेषु द्रष्टुं शक्यते। समग्रे विश्वे प्रत्येकम् अपि जनः यः संस्कृतं पठितुं तस्य प्रचारं कर्तुं च प्रयतमानः अस्ति तस्य प्रशंसायै कश्चन अवसरः नाम एतत् दिनम्।”
“गते दशके अस्माकं सर्वकारेण संस्कृतस्य प्रचाराय अनेके प्रयासाः कृताः सन्ति। तेषु त्रयाणां केन्द्रीयसंस्कृतविश्वविद्यालयानां स्थापनम्, संस्कृताध्ययनकेन्द्राणाम् आरम्भः, संस्कृतविद्वद्भ्यः अनुदानप्रदानम्, पाण्डुलिपीनां डिजिटल माध्यमे स्थापनाय ज्ञानभारतं मिशन् इत्यादीनि सन्ति। एतेन अगणिताः छात्राः शोधार्थिनः च लाभान्विताः जाताः।”
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2154565)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam