નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

આકર્ષક ઓફર છેતરપીંડીનું કારણ બની શકે છે, સાવચેત રહેવું જરૂરી : આરબીઆઈ ગવર્નર


આરબીઆઈ ગવર્નર અને બેંક ઓફ બરોડાના એમડી અને સીઈઓની ઉપસ્થિતિએ રાષ્ટ્રવ્યાપી અભિયાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો

ભારત સરકારના નાણાકીય સેવાઓ વિભાગના નાણાકીય સમાવેશન અભિયાન હેઠળ બેંક ઓફ બરોડા દ્વારા ગુજરાતના ગોઝારિયામાં મેગા કેમ્પનું આયોજન

Posted On: 11 AUG 2025 9:36PM by PIB Ahmedabad

ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ બરોડાએ 11 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામમાં એક મેગા કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી સંતૃપ્તિ અભિયાનના ભાગ રૂપે યોજાયો હતો. 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલનારા આ અભિયાનનો ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત (GP) અને શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) સ્તરે નાણાકીય સમાવેશન અને સામાજિક સુરક્ષા યોજનાઓનું 100% કવરેજ સુનિશ્ચિત કરવાનો છે. ગુજરાતમાં રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (SLBC) ના સંયોજક તરીકે, બેંક ઓફ બરોડાએ આ કાર્યક્રમના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ કાર્યક્રમમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શ્રી સંજય મલ્હોત્રા; બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દેબદત્ત ચંદ; ભારતીય રિઝર્વ બેંકના પ્રાદેશિક ડિરેક્ટર શ્રી રાજેશ કુમાર; બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ગુજરાતના કન્વીનર SLBC શ્રી અશ્વિની કુમાર, ગોઝારિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી તૃપ્તિબેન અમૃતભાઈ મિસ્ત્રી, વિવિધ બેંકોના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. 1,000 થી વધુ ગ્રામજનો અને અગ્રણી સ્થાનિક નાગરિકોએ પણ હાજરી આપી હતી.

 RBI ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાએ પોતાના સંબોધનમાં નાણાકીય સમાવેશના મહત્વ પર ભાર મૂક્યો અને ખાતરી આપી કે દરેક નાગરિક માટે બેંકિંગ સેવાઓ સુલભ છે. તેમણે ભાર મૂક્યો કે બેંક ખાતું ખોલવું એ નાણાકીય સશક્તિકરણ તરફનું પ્રથમ પગલું છે અને ખાતાધારકોને તેમના ખાતાઓ ચલાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ખાતાઓને કાર્યરત અને સુરક્ષિત રાખવા માટે ફરીથી KYC પ્રક્રિયા પૂર્ણ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો. "ગવર્નરે લોકોને ખૂબ ઊંચા વળતરનું વચન આપતી/ઓફર કરતી નાણાકીય ઉત્પાદનો જોતી વખતે સાવચેતી રાખવા અને કેટલીક યોજનાઓથી સાવચેત રહેવા વિનંતી કરી, જે આકર્ષક દેખાઈ શકે છે પરંતુ છેતરપિંડીનું જોખમ વધારે છે." તેમણે શિબિરમાં બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BC), સ્વ-સહાય જૂથ (SHG) સભ્યો અને અન્ય સહભાગીઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી.

આ પહેલ પર ટિપ્પણી કરતા, બેંક ઓફ બરોડાના MD અને CEO શ્રી દેબદત્ત ચંદે કહ્યું, "નાણાકીય સમાવેશ એ સમાન વિકાસ અને સામાજિક સશક્તિકરણનો પાયો છે. આ પ્રકારના સંતૃપ્તિ અભિયાનો દ્વારા અમારો ઉદ્દેશ્ય દરેક પાત્ર નાગરિક સુધી પહોંચવાનો અને નાણાકીય અને સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. ગોઝારિયામાં જોવા મળતી ભાગીદારી અને ઉત્સાહ દર્શાવે છે કે આપણે કેટલી સામૂહિક અસર બનાવી શકીએ છીએ." તેમણે તમામ ગ્રાહકોને બેંકમાં રાખેલા તેમના ખાતાઓમાં ફરીથી KYC સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી."

કાર્યક્રમના ભાગ રૂપે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ દાવાના ચેક લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા. PMJJBY અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ વીમાના પ્રમાણપત્રો, અટલ પેન્શન યોજના (APY) હેઠળ નોંધણી સ્વીકૃતિ રસીદો સાથે, નવા નોંધાયેલા લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.

મેગા કેમ્પમાં ગોઝારિયા ગ્રામ પંચાયતમાં કાર્યરત તમામ બેંક શાખાઓ તરફથી સક્રિય ભાગીદારી જોવા મળી હતી.

આ મેગા કેમ્પ ભારત સરકારના સાર્વત્રિક નાણાકીય સુલભતા અને વ્યાપક સામાજિક સુરક્ષા કવરેજના વિઝનને આગળ વધારવા માટે બેંકિંગ બંધુઓની અતૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.


(Release ID: 2155325)