પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના દૌસામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પીએમએ PMNRF તરફથી સહાયની જાહેરાત કરી

Posted On: 13 AUG 2025 4:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના દૌસામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

X પર PMO ઇન્ડિયા હેન્ડલ દ્વારા મૂકાયેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે:

"રાજસ્થાનના દૌસામાં થયેલા અકસ્માતમાં જાનહાનિથી ખૂબ દુઃખ થયું. પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના.

દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"

SM/NP/GP/JD


(Release ID: 2156069)