રાષ્ટ્રપતિ સચિવાલય
જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
Posted On:
15 AUG 2025 7:32PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ પોતાના સંદેશમાં કહ્યું છે કે: -
"આનંદ અને ઉત્સાહથી ભરપૂર શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.
ભગવાન શ્રી કૃષ્ણનું જીવન અને ઉપદેશો આપણને આત્મવિકાસ અને આત્મસાક્ષાત્કાર તરફ પ્રેરણા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મના માર્ગને અનુસરીને માનવતાને પરમ સત્યની પ્રાપ્તિ વિશે પ્રબુદ્ધ કર્યા. આ પર્વ આપણને યોગેશ્વર શ્રી કૃષ્ણ દ્વારા મૂર્તિમંત શાશ્વત મૂલ્યોને અપનાવવા પ્રેરણા આપે છે.
આ પ્રસંગે ચાલો આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું પાલન કરવાની અને આપણા સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લઈએ".
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-
(Release ID: 2157005)