માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રિય વિદ્યાલય સંગઠન અમદાવાદ સંભાગ દ્વારા સંકુલ સ્તરીય રાષ્ટ્રીય એકતા પર્વનું સમાપન, બીજા દિવસે ગીત-સંગીતની પ્રવૃત્તિઓ યોજાઈ
Posted On:
21 AUG 2025 12:22PM by PIB Ahmedabad
કેન્દ્રિય વિદ્યાલય સંગઠન, અમદાવાદ સંભાગ દ્વારા સંકુલ સ્તરીય રાષ્ટ્રીય એકતા પર્વ અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમના ભાગરૂપે બીજે દિવસે સમૂહ ગીત કાર્યક્રમનું આયોજન પીએમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય, અમદાવાદ છાવણી ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી ભીખુદાન દલપતસિંહ ગઢવી, શ્રી કેતન દવે અને શ્રી દ્વારેફ એસ. મહેતાએ ન્યાયાધીશ મંડળ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સંગીતકાર શ્રી ભીખુભાઈ છેલ્લા 50 વર્ષથી સંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે. તેઓએ ફિલ્મોમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શ્રી ભીખુભાઈ સંગીત ક્ષેત્રે પોતાની ઉત્તમ સેવાઓ આપતા રહ્યા છે.

બીજા દિવસના કાર્યક્રમ અંતર્ગત સમૂહ ગીત, એકલ સ્વરસંગીત, સમૂહ સ્વરસંગીત, વાદ્ય સંગીત જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સાથે જ વિઝ્યુઅલ આર્ટ (2D/3D), સ્થાનિક રમતો અને રમકડાં જેવી સ્પર્ધાઓ પણ બે દિવસ સુધી યોજાઈ હતી.

આ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન શ્રીમતી નિકિતા લહેર પટેલ, શ્રી પીયુષ ઠક્કર અને શ્રી રણજીત દ્વારા કરવામાં આવ્યું હતું. સંકુલ સ્તરે વિજેતા બનેલા વિદ્યાર્થીઓ હવે પીએમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય, શાહીબાગ ખાતે સંભાગીય સ્તરે ભાગ લેશે.
20 અને 21 ઑગસ્ટ 2025ના સંકુલ સ્તરીય આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.



SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2158916)