રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

પંજાબના પટિયાલા જિલ્લામાં સરકારી રાજીન્દ્ર હોસ્પિટલ પાસે એક રખડતા કૂતરા દ્વારા એક શિશુનું કપાયેલું માથું લઈ જવાની ઘટનાની NHRC, ભારતે સ્વતઃ નોંધ લીધી


પંજાબ સરકારના મુખ્ય સચિવ અને પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને નોટિસ જારી કરીને બે અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યા

प्रविष्टि तिथि: 03 SEP 2025 2:31PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ એક મીડિયા રિપોર્ટની સ્વતઃ નોંધ લીધી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 26 ઓગસ્ટ, 2025ના રોજ પંજાબના પટિયાલા જિલ્લામાં સરકારી રાજીન્દ્ર હોસ્પિટલ નજીક એક રખડતા કૂતરાને એક શિશુનું કપાયેલું માથું લઈ જતો જોવા મળ્યો હતો. અહેવાલ મુજબ, દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલ પરિસરમાં ઘણીવાર રખડતા કૂતરાઓ મુક્તપણે ફરતા જોવા મળે છે. તેમણે નબળી સ્વચ્છતા, સુરક્ષાનો અભાવ અને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા બેદરકારીનો પણ આરોપ લગાવ્યો છે.

કમિશને અવલોકન કર્યું છે કે મીડિયા રિપોર્ટની સામગ્રી, જો સાચી હોય, તો તે માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. તેથી, તેણે પંજાબ સરકારના મુખ્ય સચિવ અને પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે.

27 ઓગસ્ટ, 2025ના રોજ પ્રસારિત થયેલા મીડિયા અહેવાલ મુજબ, હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું છે કે હોસ્પિટલમાંથી કોઈ બાળક ગુમ થયું નથી અને બાળકોના મૃત્યુના તાજેતરના તમામ કિસ્સાઓમાં, યોગ્ય દસ્તાવેજો પછી મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા. તેમણે અહેવાલ મુજબ આશંકા વ્યક્ત કરી છે કે અવશેષો કોઈએ હોસ્પિટલ પરિસરની બહાર ફેંકી દીધા હશે.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2163334) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil