ગૃહ મંત્રાલય
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કુકી-ઝો કાઉન્સિલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-02ને મુસાફરો અને આવશ્યક ચીજવસ્તુઓની અવિરત અવરજવર માટે ખોલવાનો નિર્ણય લીધો છે
ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને કુકી-ઝો કાઉન્સિલના પ્રતિનિધિમંડળ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં નવી દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો બાદ આ નિર્ણય લીધો છે
KZC એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-02 પર શાંતિ જાળવવા માટે ભારત સરકાર દ્વારા તૈનાત સુરક્ષા દળો સાથે સહયોગ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે
ગૃહ મંત્રાલય, મણિપુર સરકાર, કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન/KNO અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ/UPFના પ્રતિનિધિઓ વચ્ચે નવી દિલ્હીમાં ત્રિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી
આ બેઠકનું સમાપન ત્રિપક્ષીય કામગીરી સસ્પેન્શન (SOO) કરાર પર હસ્તાક્ષર સાથે થયું જેમાં પુનઃવાટાઘાટો કરાયેલા નિયમો અને શરતો (મૂળભૂત નિયમો) સામેલ છે. જે કરાર પર હસ્તાક્ષર કર્યાની તારીખથી એક વર્ષના સમયગાળા માટે અમલમાં રહેશે
Posted On:
04 SEP 2025 1:43PM by PIB Ahmedabad
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, કુકી-ઝો કાઉન્સિલે આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-02ને મુસાફરો અને આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર માટે મુક્ત રીતે ખોલવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય (MHA)ના અધિકારીઓ અને KZCના પ્રતિનિધિમંડળ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં નવી દિલ્હીમાં થયેલી શ્રેણીબદ્ધ બેઠકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. KZC એ NH-02 પર શાંતિ જાળવવા માટે ભારત સરકાર દ્વારા તૈનાત સુરક્ષા દળો સાથે સહયોગ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
2. આ સાથે, આજે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય, મણિપુર સરકાર, કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન/KNO અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ/UPFના પ્રતિનિધિઓ વચ્ચે ત્રિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. આ બેઠક ત્રિપક્ષીય સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO) કરાર પર હસ્તાક્ષર સાથે સમાપ્ત થઈ હતી. જેમાં પુનઃવાટાઘાટો કરાયેલ નિયમો અને શરતો (મૂળભૂત નિયમો) સામેલ છે, જે કરાર પર હસ્તાક્ષર થયાના દિવસથી એક વર્ષના સમયગાળા માટે અસરકારક રહેશે. અન્ય જોગવાઈઓ ઉપરાંત, સુધારેલા મૂળભૂત નિયમોમાં નીચેની બાબતોનો પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો:
i. મણિપુરની પ્રાદેશિક અખંડિતતા
ii. મણિપુર રાજ્યમાં કાયમી શાંતિ અને સ્થિરતા લાવવા માટે વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાની જરૂર છે.
૩. KNO અને UPFએ પણ સંમત થયા છે:
i. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોથી સાત નિયુક્ત કેમ્પોને દૂર સ્થાનાંતરિત કરવા.
ii. નિયુક્ત કેમ્પોની સંખ્યા ઘટાડવી.
iii. નજીકના CRPF/BSF કેમ્પમાં શસ્ત્રો સ્થાનાંતરિત કરવા.
iv. સુરક્ષા દળો દ્વારા કેડર્સની કડક શારીરિક ચકાસણી, જેમાં વિદેશી નાગરિકોને કાઢી નાખવાનો સમાવેશ થાય છે, જો કોઈ હોય તો.
4. સંયુક્ત દેખરેખ જૂથ હવેથી ગ્રાઉન્ડ રૂલ્સના અમલીકરણ પર નજીકથી દેખરેખ રાખશે અને ભવિષ્યમાં થતા ઉલ્લંઘનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં SoO કરારની સમીક્ષાનો સમાવેશ થાય છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2163667)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam