યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજિત યુવા સંમેલન અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે
Posted On:
10 SEP 2025 11:59AM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા. 11 સપ્ટેમ્બર 2025 રાજકોટની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રોજ સવારે 8-૦૦ વાગ્યે શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજિત ‘રાષ્ટ્રીય યુવા સંમેલન’ હાજરી આપશે. ત્યાર બાદ 10:35 વાગ્યે ફૂલછાબ ઓફિસ ખાતે 100 કિલો વોટની સોલાર પેનલ પ્રકલ્પના ઉદ્દઘાટન સમારોહમાં હાજરી આપશે.
તેમજ ફૂલછાબ દ્વારા આયોજિત ગ્રીન એનર્જી પ્લાન્ટના કાર્યક્રમમાં સવારે 11:00 વાગ્યે ઠાકર ડાઈનીંગ હોલ, રાજકોટ ખાતે હાજરી આપશે. ત્યારબાદ 12:30 વાગ્યે એલ.એલ.પી., જીઆઇડીસી, મેટોડા, રાજકોટ ખાતે શ્રીરામ એરોસ્પેસ એન્ડ સંરક્ષણ ફેક્ટરીની મુલાકાત લેશે અને બપોરે 02:30 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2165181)
Visitor Counter : 2