ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
આઈ એસ આઈ (ISI) માર્ક લગાવ્યા વગર ઇન્ટરલોક રહિત સ્વીચો, સોકેટ્સ અને આઉટલેટ્સ બનાવતી યુનિટ પર ભારતીય માનક બ્યુરો દ્વારા દરોડા
Posted On:
10 SEP 2025 2:38PM by PIB Ahmedabad
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા માન્ય લાયસન્સ લીધા વગર ISI માર્કવાળા સ્વીચો, સોકેટ્સ અને આઉટલેટ્સના ઉત્પાદનમાં સામેલ મેસર્સ જૈનેક્સ ઇલેક્ટ્રિકલ્સ (સર્વે નંબર-302/ પૈકી 1,570/પૈકી 1,602/ પૈકી 1, સરીગામ પુનાત રોડ, અગ્રવાલ પેપર મિલ પાસે, યુનિટ-5, ડુંગર ફળિયા, ગામ-અંગામ, સરીગામ, વલસાડ, ગુજરાત-39615) પર તારીખ 09-09-2025ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન, યુનિટમાંથી ISI માર્ક વગર ઇન્ટરલોક ફ્રી સ્વીચ-સોકેટ-આઉટલેટ (7440 Pcs), બેયોનેટ લેમ્પ હોલ્ડર્સ (1600 Pcs), બોક્સ અને એન્ક્લોઝર (4365 Pcs) જપ્ત કરવામાં આવ્યા હતા. ISI માર્ક વગરના ઉપરોક્ત તમામ ઉત્પાદનોનું ઉત્પાદન કરી શકાતું નથી. તેથી ઉપરોક્ત યુનિટના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઓર્ડર નંબર- CG-DL-E-04012024-251134 મુજબ તારીખ 03 જાન્યુઆરી 2024ના રોજ જારી કરાયેલા તમામ ઉત્પાદનો (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર-2023ના રોજ ઉપરોક્ત તમામ ઉત્પાદનો ISI માર્ક 03-07-2024 પછી ફરજિયાત બનાવવામાં આવ્યા છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વગર પ્રોડક્ટનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવી પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરૂપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન હેઠળ આવતા પ્રોડક્ટનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 ફોન નં. 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2165242)
Visitor Counter : 2