સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટપાલ સેવાને લગતા પશ્નોના નિરાકરણ માટે ડાક –અદાલત

प्रविष्टि तिथि: 15 SEP 2025 3:39PM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્તર જનરલ, વડોદરા રીજીયનની કચેરી, ડાક ભવન, પવનવીર એપાર્ટમેન્ટ સામે, પ્રતાપગંજ, વડોદરા-390002 ખાતે તારીખ 24/09/2025ને બુધવારના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમાં નીતિ-વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતી અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલસેવા અંગે અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રી અરવિંદ કુમાર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ, પોસ્ટમાસ્તર જનરલની કચેરી, પ્રતાપગંજ, વડોદરા-390002ના સરનામે મોડામાં મોડી તા. 22/09/2025 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.

નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહી.

ઉપરાંત, સામાન્ય પ્રકૃતિ અને નીતિગત બાબતોની ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

ફરિયાદ નક્કર અને સંક્ષિપ્ત હોવી જોઈએ.


(रिलीज़ आईडी: 2166756) आगंतुक पटल : 38