ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ઝારખંડના હજારીબાગમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવવા બદલ CRPFની કોબ્રા બટાલિયન અને રાજ્ય પોલીસની પ્રશંસા કરી
કુખ્યાત નક્સલ કમાન્ડર CCM સહદેવ સોરેન ઉર્ફે પરવેશ નક્સલ વિરોધી કાર્યવાહીમાં માર્યો ગયો, જેના પર ₹1 કરોડનું ઇનામ હતું
સુરક્ષા દળોએ બે અન્ય વોન્ટેડ નક્સલીઓ- રઘુનાથ હેમ્બ્રમ ઉર્ફે ચંચલ અને બિરસેન ગંઝુ ઉર્ફે રામખેલાવનને પણ ઠાર મારાયા
આ નક્સલ વિરોધી કાર્યવાહી પછી, ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે, ટૂંક સમયમાં આખો દેશ નક્સલવાદની સમસ્યાથી મુક્ત થઈ જશે
प्रविष्टि तिथि:
15 SEP 2025 5:35PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઝારખંડના હજારીબાગમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવવા બદલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) ની કોબ્રા બટાલિયન અને રાજ્ય પોલીસની પ્રશંસા કરી છે.
X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે, CRPF ની કોબ્રા બટાલિયન અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમે ઝારખંડના હજારીબાગમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, કુખ્યાત નક્સલ કમાન્ડર CCM સહદેવ સોરેન ઉર્ફે પરવેશ, જેના માથા પર ₹ 1 કરોડનું ઇનામ હતું, તેને ઠાર મારવામાં આવ્યો છે. આ સાથે, બે અન્ય વોન્ટેડ નક્સલીઓ - રઘુનાથ હેમ્બ્રમ ઉર્ફે ચંચલ અને બિરસેન ગંજુ ઉર્ફે રામખેલાવનને પણ સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પછી, ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રમાંથી નક્સલવાદનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આખો દેશ નક્સલવાદની સમસ્યાથી મુક્ત થઈ જશે.
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2166848)
आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam