પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી


યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રીએ આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરવા આતુરતા દર્શાવી

प्रविष्टि तिथि: 17 SEP 2025 7:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનો ટેલિફોન કોલ મળ્યો હતો.

રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ તેમની શુભેચ્છાઓ અને સ્થાયી મિત્રતા માટે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન પૂર્વે દ્વિપક્ષીય કાર્યસૂચિ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરવા આતુર છે.

પ્રધાનમંત્રીએ યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

નેતાઓ નજીકના સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2167820) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam