માહિતી અને પ્રસારણ મંત્રાલય
વિકસિત ભારતનો અમૃતકાળ - નાગરિકો માટે મહત્વપૂર્ણ પ્રદર્શન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ" મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમ્યાન લોકોને કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા માટે વિશેષ પ્રદર્શનનું આયોજન
Posted On:
22 SEP 2025 9:58PM by PIB Ahmedabad
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવ દરમ્યાન કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય દ્વારા આયોજિત "વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ" અંતર્ગત મલ્ટીમીડિયા પ્રદર્શનનું આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
29SG.jpeg)
મુખ્યમંત્રીએ પ્રદર્શન અંગે વાત કરતા કહ્યું હતું કે, આ પ્રદર્શન નાગરિકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે કેમ કે સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે તેમને માહિતી મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા 10 દિવસ સુધી લોકોએ આ પ્રદર્શનનો લાભ લેવો જોઈએ.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ તથા ગોધરા દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 11 વર્ષ દરમ્યાન દેશના નાગરિકોના જીવનમાં થયેલા સુખદ પરિવર્તન તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ સિદ્ધિઓની ઝાંખી રજૂ કરવામાં આવશે.

આ પ્રદર્શન મારફતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના "વિકસિત ભારત 2047"નાં સપનાને સાકાર કરવા તરફના પ્રયત્નોને માહિતી સભર સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવશે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને સિદ્ધિઓ અંગે ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ આકર્ષણો, યોજનાકીય સાહિત્ય, નાટ્ય પ્રસ્તુતિઓ તથા અન્ય સર્જનાત્મક માધ્યમોથી વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.
આ પ્રદર્શન 22 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર 2025 સુધી ચાલશે, જેમાં સ્વચ્છતા હી સેવા પ્રવૃતિઓ, ડિજિટલ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, એક પેડ મા કે નામ અભિયાન તેમજ ભારત સરકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવશે. ઉપરાંત આ પ્રદર્શનમાં પ્રકાશન વિભાગ દ્વારા વિવિધ યોજનાકીય પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવેલું હતું.
આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, લેખન સામગ્રી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી પ્રતિભા જૈન સાથે પત્ર સૂચના કાર્યાલય, અમદાવાદના અપર મહાનિદેશક શ્રી પ્રશાંત પાઠરાબે, સહાયક નિદેશક શ્રીમતી સુમન મછાર, ક્ષેત્રીય પ્રચાર અધિકારી જિતેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંજય શાહ, નરેશ વાઘેલા અને નિશાંત પ્રણામીએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રદર્શન જનસામાન્ય માટે નિ:શુલ્ક ખુલ્લું રહેશે. મેળાના મુલાકાતીઓને વધુમાં વધુ સંખ્યામાં આ પ્રદર્શનની મુલાકાત લઈ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર થવા અપીલ કરવામાં આવે છે.
(Release ID: 2169863)
Visitor Counter : 19