યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસે આવશે
આત્મનિર્ભર ભારત અને GST સુધારણા વિષયક યુવા સંમેલનમાં ઉપસ્થિત રહેશે
વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરશે
Posted On:
25 SEP 2025 2:29PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા.26 સપ્ટેમ્બરનાં રોજ પોરબંદર જિલ્લાનાં પ્રવાસે આવશે.
આ મુલાકાત દરમિયાન તેઓ તા.26 સપ્ટેમ્બર શુક્રવારનાં રોજ ડૉ.વી.આર.ગોધાણીયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત અને જી.એસ.ટી.સુધારણા વિષયક યુવા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. તેમજ ઈશ્વરીયા ખાતે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરશે.
કેન્દ્રીય મંત્રી બપોરે ચોપાટી વિલા સરકીટ હાઉસ ખાતે શહેરના આગેવાનો કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે અને ત્યારબાદ સાંજે 5-૦૦ વાગ્યે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે “વોકલ ફોર લોકલ” માર્કેટનો શુભારંભ કરશે. ત્યારબાદ તેઓ સુભાષનગર ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે સેવા પખાવાડીયા અંતર્ગત આયોજિત મેડિકલ કેમ્પમાં હાજરી આપશે અને સુદામા ચોકથી સોની બજાર અને ત્યાંથી સુતારવાડા વિસ્તારમાં વેપારીઓ સાથે પણ મુલાકાત કરશે.
કેન્દ્રીય મંત્રી રાતે 9-૦૦ વાગ્યે આયોજિત બખરલા ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. ત્યારબાદ પોરબંદર શહેરના વિવિધ નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2171101)
Visitor Counter : 46