મંત્રીમંડળ
કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપીકેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
01 OCT 2025 3:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 01.07.2025થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR)નો વધારાનો હપ્તો જારી કરવા મંજૂરી આપી છે, જે મોંઘવારી સામે વળતર આપવા માટે મૂળભૂત પગાર/પેન્શનના 55% ના હાલના દર કરતાં 3%નો વધારો દર્શાવે છે.
મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બંનેમાં વધારાને કારણે સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 10083.96 કરોડનો પ્રભાવ પડશે. આનાથી લગભગ 49.19 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરોને ફાયદો થશે.
આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે, જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2173565)
आगंतुक पटल : 476
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam