પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વાલ્મીકિ જયંતિ પર સૌને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
07 OCT 2025 9:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતિના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી.
શ્રી મોદીએ પ્રાચીન કાળથી ભારતીય સમાજ અને પારિવારિક જીવન પર મહર્ષિ વાલ્મીકિના શુદ્ધ અને આદર્શ વિચારોના ગહન પ્રભાવ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સામાજિક સંવાદિતામાં મૂળ ધરાવતા મહર્ષિ વાલ્મીકિના ઉપદેશો રાષ્ટ્રને પ્રેરણા અને જ્ઞાન આપતા રહે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"મહર્ષિ વાલ્મીકિ જયંતિ પર તમામ સાથી નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ. પ્રાચીન કાળથી જ તેમના શુદ્ધ અને આદર્શ વિચારોનો આપણા સમાજ અને પરિવારો પર ઊંડો પ્રભાવ રહ્યો છે. સામાજિક સંવાદિતા પર આધારિત તેમનો વૈચારિક પ્રકાશ આપણા દેશવાસીઓને જ્ઞાન આપતો રહે છે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2175633)
आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam