માહિતી અને પ્રસારણ મંત્રાલય
સ્વચ્છતા અભિયાન વિશેષ ઝુંબેશ 5.0 હેઠળ માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં વિવિધ વિભાગો દ્વારા સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરાયું
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો, કેન્દ્રીય સંચાર બ્યૂરો અને પ્રકાશન વિભાગ, અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
Posted On:
15 OCT 2025 4:27PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારની કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંસ્થાગત સ્વચ્છતા અને પેન્ડિંગ ફાઇલોની સંખ્યા ઘટાડવાનો હેતુ ધરાવતા વિશેષ ઝુંબેશ 5.0 કાર્યક્રમનો 2 થી 31 ઓક્ટોબર 2025 દરમ્યાન દેશભરમાં અમલ થઈ રહ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB), કેન્દ્રીય સંચાર વિભાગ અને પ્રકાશન વિભાગ, અમદાવાદ દ્વારા પરિમલ ગાર્ડન નજીક સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
PIB અમદાવાદના ADG શ્રી પ્રશાંત પાઠરાબેના નેતૃત્વ હેઠળ આયોજિત આ અભિયાનમાં ત્રણેય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્વચ્છતા તથા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સ્વચ્છતા અભિયાનનાં ભાગરૂપે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત પરિમલ ગાર્ડનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું .

આ પહેલ દ્વારા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, કેન્દ્રીય સંચાર બ્યૂરો અને પ્રકાશન વિભાગે "સ્વચ્છ ભારત અભિયાન" તથા ટકાઉ જીવનશૈલીના મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી અને નાગરિકોને પણ સ્વચ્છતા અને પર્યાવરણ માટે સક્રિય ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા.
90UN.jpeg)
તા. 2 ઓક્ટોબરથી શરુ થયેલી આ વિશેષ ઝુંબેશ હેઠળ અગાઉ કાર્યાલય અને કાર્યાલયની આસપાસમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
(Release ID: 2179428)
Visitor Counter : 34