પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે શ્રીલંકાના પ્રધાનમંત્રીએ મુલાકાત કરી


પીએમ મોદીએ કહ્યું કે તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે

પીએમ મોદીએ આ વર્ષે એપ્રિલમાં શ્રીલંકાની તેમની રાજકીય મુલાકાત અને રાષ્ટ્રપતિ દિસાનાયક સાથેની તેમની ફળદાયી ચર્ચાઓને યાદ કરી

બંને નેતાઓએ શિક્ષણ, ટેકનોલોજી, નવીનતા વિકાસ સહયોગ અને માછીમારોના કલ્યાણમાં સહયોગને મજબૂત બનાવવાના પગલાંઓની ચર્ચા કરી

પીએમ મોદી બંને દેશોની સહિયારી વિકાસ યાત્રામાં સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી છે

પીએમ મોદી રાષ્ટ્રપતિ દિસાનાયકને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે, અને સતત જોડાણોની અપેક્ષા રાખે છે

Posted On: 17 OCT 2025 4:25PM by PIB Ahmedabad

શ્રીલંકાના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. હરિણી અમરસુરિયાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

ઉષ્માભર્યું સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની મુલાકાત ઐતિહાસિક અને બહુપક્ષીય ભારત-શ્રીલંકા સંબંધોને નવી ગતિ આપશે.

પ્રધાનમંત્રીએ આ વર્ષે એપ્રિલમાં શ્રીલંકાની તેમની રાજ્ય મુલાકાતને યાદ કરી, જેમાં તેમણે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક સાથે સહયોગના તમામ ક્ષેત્રોને આવરી લેતા ફળદાયી ચર્ચાઓ કરી હતી.

બંને નેતાઓએ શિક્ષણ, ટેકનોલોજી, નવીનતા વિકાસ સહયોગ અને આપણા માછીમારોના કલ્યાણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાના પગલાંઓની ચર્ચા કરી હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચેના ખાસ સંબંધો પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ બંને દેશોની સહિયારી વિકાસ યાત્રામાં સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દિસાનાયકને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે તેઓ તેમના સતત સહયોગની અપેક્ષા રાખે છે.

SM/IJ/GP/JD


(Release ID: 2180376) Visitor Counter : 13