નાણા મંત્રાલય
નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે શિબિરોનું આયોજન
"आपकी पूँजी, आपका अधिकार" ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પર એક રાષ્ટ્રવ્યાપી ઝુંબેશને જિલ્લા કક્ષાએ આગળ ધપાવવામાં આવી રહી છે
Posted On:
29 OCT 2025 5:40PM by PIB Ahmedabad
રાજ્યમાં અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પરત મેળવવા માટે તૃતિય તબક્કામાં ગુજરાતમાં શનિવારે તારીખ 01 નવેમ્બર 2025ના રોજ 6 જિલ્લામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભુજ (કચ્છ)માં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર હોલ, હોસ્પિટલ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં SBI પ્રાદેશિક કચેરી, પોસ્ટ ઓફિસ પાસે, ટાવર ચોક, સુરેન્દ્રનગર, જયારે જિલ્લા મોરબીમાં સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ, સ્વામિનારાયણ સંસ્કાર ધામ પાછળ, જીઆઈડીસી મેઈન રોડ મોરબી, પોરબંદરમાં બિરલા હોલ, વાડિયા પેટ્રોલ પંપ પાસે, એમજી રોડ ખાતે, જિલ્લા બનાસકાંઠામાં નગરપાલિકા ટાઉનહોલ, પાલનપુર અને મહેસાણા જિલ્લામાં આત્મારામ કાકા ફિઝીયોથેરાપી સેન્ટર હોલ, દેડિયાસણ જીઆઈડીસી, વીઆઈપી નગર, મહેસાણા ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરમાં નાણાકીય સેવા વિભાગ ભારત સરકારના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રતિનિધિ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ, અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ મહામેળાવડામાં જે લોકોના દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન વગેરે નાણાકીય સંસ્થાઓમાં પડ્યા છે, તેવા તમામ લોકોને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.
ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેશભરમાં 01 ઓક્ટોબર 2025થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન એક વિશેષ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ શિબિરોમાં લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી પ્રાપ્ત થશે અને રકમના યોગ્ય હકદારને મૂડી પાછી મળે તેવા પ્રયાસ આ શિબિરો દ્વારા કરવામાં આવશે. આ જિલ્લા કક્ષાની શિબિરોમાં જોડાવા લોકોને નમ્ર વિનંતી છે.
(Release ID: 2183860)
Visitor Counter : 83