પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના ‘મિશન લાઇફ’ દ્વારા પરંપરાગત સંરક્ષણ પદ્ધતિઓના પુનર્જીવન પર લખાયેલ લેખ શેર કર્યો
Posted On:
04 NOV 2025 1:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતનું મિશન લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી) કેવી રીતે ભારતની પરંપરાગત સંરક્ષણ પદ્ધતિઓ જેમ કે તમિલનાડુના ઇરી ટેન્ક સિસ્ટમથી લઈને રાજસ્થાનના જોહડ સુધી ફરી જીવંત કરી રહ્યું છે અને તેને પર્યાવરણીય સેવા પ્રત્યે સજાગતા તરીકે ફરીથી રજૂ કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “શ્રી યાદવે ભારતના સંદેશ પર પ્રકાશ પાડ્યો છે કે વાસ્તવિક ટકાઉપણું વાટાઘાટોથી નહીં પરંતુ સંવર્ધનથી શરૂ થાય છે.”
કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ એ X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું હતું કે,
“ આ વાંચવાલાયક લેખમાં કેન્દ્રીય મંત્રી શ્રી @byadavbjp એ લખ્યું છે કે ભારતનું મિશન લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી) તમિલનાડુની ઇરી ટેન્ક સિસ્ટમથી લઈને રાજસ્થાનના જોહડ સુધી, પરંપરાગત સંરક્ષણ પ્રથાઓને પુનર્જીવિત કરી રહ્યું છે અને તેમને પર્યાવરણની સેવા માટેની સજાગ પ્રવૃત્તિઓ તરીકે પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે.
તેમણે ભારતના સંદેશ પર પ્રકાશ પાડ્યો છે કે વાસ્તવિક ટકાઉપણું વાટાઘાટોથી નહીં પરંતુ સંવર્ધનથી શરૂ થાય છે.”
SM/IJ/GP/YP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2186211)
Visitor Counter : 18
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam