ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી
ગૃહમંત્રીએ લોકનાયક જય પ્રકાશ હોસ્પિટલની મુલાકાત લીધી અને ઘાયલોને મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે કેસના દરેક પાસાની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે
ઘટનાની માહિતી મળતાં, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, NIA, NSG અને FSLની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. આપણી એજન્સીઓ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે
વિસ્ફોટના સમાચાર મળતાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ફોન કર્યો હતો
અમે કેસના દરેક પાસાની તપાસ કરી રહ્યા છીએ અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓનું સંપૂર્ણ વિશ્લેષણ ન થાય ત્યાં સુધી કોઈપણ શક્યતાઓને નકારી રહ્યા નથી
Posted On:
10 NOV 2025 11:37PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ કમિશનર અને ઘટનાસ્થળે હાજર અન્ય વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલની પણ મુલાકાત લીધી અને ઘાયલોને મળ્યા હતા. તેમણે ડોક્ટરો સાથે પણ વાત કરી અને ઘાયલોની તબિયત પૂછી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે ઘટનાના દરેક પાસાની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, NIA, NSG અને FSLની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અમારી એજન્સીઓ વિસ્ફોટનું કારણ શોધવામાં રોકાયેલી છે.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વિસ્ફોટના સમાચાર મળતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટનાની સમીક્ષા કરવા માટે ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓનું વિશ્લેષણ ન થાય ત્યાં સુધી કોઈ શક્યતા નકારી શકાય નહીં.
IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2188659)
Visitor Counter : 12