પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દિલ્હી વિસ્ફોટ બાદ ભૂટાને દર્શાવેલ એકતાની સદ્ભાવના બદલ પ્રધાનમંત્રીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી

Posted On: 11 NOV 2025 3:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના ચોથા રાજાના 70મા જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ દરમિયાન ભારત સાથે એકતા દર્શાવવા બદલ ભૂટાનના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. દિલ્હીમાં બનેલી દુ:ખદ ઘટના બાદ, ભૂટાનના લોકોએ પીડિતો અને તેમના પરિવારો માટે એક અનોખી પ્રાર્થના કરી. પ્રધાનમંત્રીએ કરુણા અને એકતાના આ નોંધપાત્ર કાર્યને સ્વીકારતા કહ્યું, "હું આ ભાવને ક્યારેય ભૂલીશ નહીં."

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

"મહામહિમ ચોથા રાજાના 70મા જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં, ભૂટાનના લોકોએ એક અનોખી પ્રાર્થના દ્વારા ભારતના લોકો સાથે એકતા વ્યક્ત કરી. હું આ ભાવને ક્યારેય ભૂલીશ નહીં."

IJ/GP/DK

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2188763) Visitor Counter : 18