ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શ્રી ધર્મેન્દ્રજીના નિધન પર ઊંડોશોક વ્યક્ત કર્યો


છ દાયકા સુધી પોતાના શાનદાર અભિનયથી દેશના દરેક નાગરિકના હૃદયને સ્પર્શી જનારા ધર્મેન્દ્રજીનું નિધન ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક ના પૂરી શકાય તેવી ક્ષતિ છે

ધર્મેન્દ્રજી એવા પસંદગીના કલાકારોમાંના એક હતા જેમણે પોતે સ્પર્શેલા દરેક પાત્રને જીવંત બનાવ્યું, અને આ કલા દ્વારા, તેમણે તમામ વય જૂથોના લાખો દર્શકોના દિલ જીતી લીધા

એક નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવતા, તેમણે ફિલ્મ ઉદ્યોગમાં એક અમીટ છાપ છોડી અને તેમના અભિનય દ્વારા હંમેશા આપણી સાથે રહેશે

ભગવાન તેમના દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવાર અને ચાહકોને આ ક્ષતિ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ

प्रविष्टि तिथि: 24 NOV 2025 3:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શ્રી ધર્મેન્દ્રજીના નિધન પર ઊંડી શોક વ્યક્ત કરી.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, " દાયકા સુધી પોતાના શાનદાર અભિનયથી દેશના દરેક નાગરિકના હૃદયને સ્પર્શી ગયેલા ધર્મેન્દ્રજીનું અવસાન ભારતીય સિનેમા માટે એક ના પૂરી શકાય તેવી ક્ષતિછે. એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા, તેમણે ફિલ્મ ઉદ્યોગમાં એક અમીટ છાપ છોડી. ધર્મેન્દ્રજી એવા પસંદગીના કલાકારોમાંના એક હતા જેમણે તેમણે સ્પર્શેલા દરેક પાત્રને જીવંત બનાવ્યું, અને કલા દ્વારા, તેમણે તમામ વય જૂથોના લાખો દર્શકોના દિલ જીતી લીધા. તેઓ હંમેશા તેમના અભિનય દ્વારા આપણી સાથે રહેશે. ભગવાન તેમના દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવાર અને ચાહકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ"

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2193704) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Tamil , Telugu , Kannada