પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
11 DEC 2025 10:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી શ્રી મુખર્જીને એક ઉત્કૃષ્ટ રાજનેતા અને અસાધારણ વિદ્વાન તરીકે બિરદાવ્યા, જેમણે દાયકાઓ સુધી જાહેર જીવનમાં અતૂટ સમર્પણ સાથે ભારતની સેવા કરી હતી.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:
“શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. એક ઉત્કૃષ્ટ રાજનેતા અને અસાધારણ ઊંડાણના વિદ્વાન, તેમણે દાયકાઓ સુધી જાહેર જીવનમાં અતૂટ સમર્પણ સાથે ભારતની સેવા કરી હતી. પ્રણવ બાબુની બુદ્ધિ અને વિચારની સ્પષ્ટતાએ દરેક પગલે આપણા લોકશાહીને સમૃદ્ધ બનાવ્યું છે. આ એક સૌભાગ્યની વાત છે કે અમે ઘણા વર્ષો સુધી વાતચીત કરી તે દરમિયાન મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું.”
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2202045)
आगंतुक पटल : 10