પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી આર્થિક સહાયની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 12 DEC 2025 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.

X પર પોસ્ટમાં PMO ઇન્ડિયા હેન્ડલે કહ્યું:

"આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

દરેક મૃતકના સગાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"

SM/IJ/GP/BS

 


(रिलीज़ आईडी: 2202716) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Odia , Tamil , Telugu , Kannada , Malayalam