માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં AI સાધનોનું નિરીક્ષણ કરવામાં આવે છે, પરંતુ કોઈ નિયમનકારી પગલું પ્રસ્તાવિત નથી: ડૉ. એલ. મુરુગને રાજ્યસભામાં માહિતી આપી
प्रविष्टि तिथि:
12 DEC 2025 5:19PM by PIB Ahmedabad
સરકાર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ડાયલોગ, સ્ટોરીલાઇન અને સ્ક્રીનપ્લે જનરેટ કરવા સહિત ફિલ્મ અને મીડિયા સ્ક્રિપ્ટરાઇટિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાધનોના વધતા ઉપયોગ વિશે માહિતગાર છે.
વર્તમાનમાં, સિનેમેટોગ્રાફ એક્ટ, 1952માં સુધારો કરીને ફિલ્મ નિર્માણ અને સ્ક્રિપ્ટરાઇટિંગમાં AI ના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.
માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી, ડૉ. એલ. મુરુગને આજે રાજ્યસભામાં શ્રી એસ. નિરંજન રેડ્ડી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2203219)
आगंतुक पटल : 10