ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગોવાના લોકોને ગોવા મુક્તિ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી


આજની પેઢી કદાચ જાણતી નહીં હોય કે 1961 સુધી ભારતીયોને ગોવાની મુલાકાત લેવાની પરવાનગી લેવી પડતી હતી, ઘણા મહાન લોકોએ આનો વિરોધ કર્યો અને ગોવાની સ્વતંત્રતા માટે લડ્યા

આપણા દેશભક્તોના મહાન બલિદાન પછી ગોવા ભારતનું અભિન્ન ભાગ બન્યું

હું ગોવાની સ્વતંત્રતા માટે ઘણું સહન કરનારા તમામ મહાન આત્માઓને હૃદયપૂર્વક કૃતજ્ઞતા અને નમન કરું છું

प्रविष्टि तिथि: 19 DEC 2025 11:58AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગોવાના લોકોને ગોવા મુક્તિ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગોવા મુક્તિ દિવસ પર ગોવાના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આજની પેઢી કદાચ જાણતી નહીં હોય કે 1961 સુધી ભારતીયોને ગોવાની મુલાકાત લેવાની પરવાનગી લેવી પડતી હતી. તેમણે કહ્યું કે પ્રભાકર વૈદ્ય, બાલા રાય માપારી, નાનાજી દેશમુખ અને જગન્નાથ રાવ જોશી જેવા ઘણા મહાન લોકોએ આની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને ગોવાની સ્વતંત્રતા માટે લડ્યા. શ્રી શાહે કહ્યું કે આપણા દેશભક્તોના મહાન બલિદાન પછી ગોવા ભારતનું અભિન્ન ભાગ બન્યું. હું ગોવાની સ્વતંત્રતા માટે ખૂબ જ કષ્ટ સહન કરનારા તમામ મહાન આત્માઓ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

SM/GP/DK

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2206423) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Tamil , Kannada , Malayalam