ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ બિશ્વ બંધુ સેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો


એક પ્રતિબદ્ધ નેતા જેમણે તેમના જીવનના અનેક વર્ષો જનસેવામાં સમર્પિત કર્યા હતા, સેનજીનું નિધન એ રાજ્યના રાજકીય ક્ષેત્ર માટે મોટી ખોટ છે

મારી સંવેદનાઓ તેમના શોકાતુર પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે

प्रविष्टि तिथि: 26 DEC 2025 4:44PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ બિશ્વ બંધુ સેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

‘X’ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે “ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ બિશ્વ બંધુ સેનજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. એક પ્રતિબદ્ધ નેતા જેમણે તેમના જીવનના અનેક વર્ષો જનસેવામાં સમર્પિત કર્યા હતા, સેનજીનું નિધન એ રાજ્યના રાજકીય ક્ષેત્ર માટે મોટી ખોટ છે. મારી સંવેદનાઓ તેમના શોકાતુર પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.”

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2208898) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी